“સત્ય તમને સ્વતંત્ર કરશે” યોહાન ૮:-૩૨ ( બાઇબલ)
“સત્ય તમને સ્વતંત્ર કરશે” આ ઈસુ ખ્રિસ્તના આપેલું એક જાણીતું નિવેદન છે. બાઇબલ નુ આ પ્રકરણ દ્વારા એ વાક્યનો સાચો અર્થ, અને તે વાક્યનો સ્વિકાર કરનાર વ્યક્તિ મા થનારી બદલાવ વિશે આપડે સમજવાની કોશિશ કરીએ….
ભૂમિકા
આ નિવેદન સમજવા માટે ઈસુ ખ્રિસ્ત યેહુદી મત ના લોકો સાથે કરેલી વાતચીતને ધ્યાનમાં લેવું જોઈએ. પોતાનામાં વિશ્વાસ કરેલા યહૂદી સમુદાય ના લોકોને ઈસુએ કહ્યું , “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો. અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.” યોહાન ૮:-૩૧-૩૨
યહૂદીઓએ એવો દાવો કરીને જવાબ આપ્યો કે તેઓ અબ્રાહમના વંશજ છે અને તેઓ ક્યારેય ગુલામ નહોતા… એ સૂચવે છે કે તેઓ પહેલેથી જ આઝાદ છે.
કંઈ બાબત નિ સ્વતંત્રતા?
ઈસુએ કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જે કોઈ પાપ કર્યા કરે છે, તે પાપનો દાસ છે.” (યોહાન 8:34). ઈસુ પાપથી આવતી આધ્યાત્મિક ગુલામીને ઉજાગર કરી રહ્યો હતો અને તેમાંથી મુક્તિની જરૂરિયાતને પ્રકાશિત કરી રહ્યો હતો.
માનવનો સંઘર્ષ
“કારણ કે બધાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરા રહે છે.” (રોમનોને પત્ર 3:23). અને અમારી સર્વોત્તમ પ્રયત્નો છતાં, અમને અમારા સર્જનહાર સાથે અલગ કરનાર પાપના દોષથી કે ગુલામીથી મુક્ત કરી શકતા નથી , અને આપણ સહુ પાપનાં નેઇલ હેટળ છે તેમ બાઇબલ આપણ ને શિકવે છે.
પાપની વિવિધ ગુલામીઓ
સર્જકનું (ઈશ્વર)સાનિધ્ય ગુમાવીને, માનવજાત બીજા ઘણા બંધનોમાં જકડાઈ ગઈ છે.પાપની ગુલામી સાથે અન્ય ઘણી ગુલામીઓ આવે છે. રીત-રિવાજો,અપૂર્ણ સંસ્કૃતિ, અપૂર્ણ અભ્યાસોની ગુલામી,અને લક્ષ્યથી વિચલિત થવાનો અપરાધ અનુભવ કરવો,મૃત્યુ અને મૃત્યુ પછીના જીવન, ભય,ભવિષ્ય અને અજ્ઞાતના ભયથી પીડાતા રહેવું, એકલતા અને એકલવાયાપણુંનો અનુભવ – જીવનમાં કંઈક ખોવાઈ ગયાનો અનુભવ થતો રહે છે, સમૃદ્ધિ અને કલ્યાણની તૃપ્ત ન થતી ભૂખ, શાંતિ, અને જીવનના અંત સુધી આ ખાલી પણનું પૂરવાના નિરર્થક પ્રયાસો…
સત્ય શું છે?
“માર્ગ, સત્ય અને જીવન” તે છે…. (યોહાન 14:6).
એ ઈસુનો દાવો અન્ય કોઈએ એવો સત્તાવાર દાવો કર્યો નથી જેવો ઈસુએ કર્યો હતો ,જ્યારે ઘણા લોકોએ માર્ગ બતાવવાનો પ્રયાસ કર્યો છે, કેટલાકે સત્ય શોધવાનો પ્રયાસ કર્યો છે, અને ઘણાં ‘જીવન’ અને તેના રહસ્યોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે,પરંતુ કોઈ એ પુરવાર કરી શક્યા નથી ,સિવાય કે ઈસુએ.
ઈશ્વર તરફનો માર્ગ ખ્રિસ્તમાં વિશ્વાસ મારફતે
“કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહાન 3:16).
ઈસુ ખ્રિસ્તે અમારે માટે ઈશ્વર તરફનો માર્ગ પોતાના વધસ્તંભ પરની મરણ દ્વારા બનાવ્યો. તેણે પોતાના લોહીની આપ્તિ દ્વારા અમારા ઉદ્ધારનું મૂલ્ય ચૂકવ્યું. તેની મૃત્યુ અને પુનરુત્થાને ઈશ્વર અને માનવતા વચ્ચે નવી અને સનાતન કરારને જન્મ આપ્યો. ઈશ્વર તરફનો માર્ગ ખ્રિસ્ત ઈસુમાં વ્યક્તિગત વિશ્વાસ મારફતે છે.
ઈસુને સ્વીકારવા કે અ સ્વીકરવા નિર્ણય
“પુનરુત્થાન થતા જીવન હું છું ” તેમ ઈસુ ખ્રિસ્તના પ્રસ્તાવ આપડે જોઈ શકાઈ છે.ઈસુએ કહ્યું, “એ માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપમાં મરશો; કેમ કે હું [તે] છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપમાં મરશો.” – યોહાન 8:24. જે લોકો ઈસુ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્યમાં વિશ્વાસ નહીં રાખે તેઓ તેમના પાપોમાં જ મૃત્યુ પામશે .અ પ્રસ્તાવને કોઈ સ્વિકાર કરવું કે નહિ પોતાની વ્યક્તિગત ઈચ્છા હોય પણ ઈસુ ખ્રિસ્તના પ્રસ્તાવ ના અવગણના કે નકાર કરી શકે તેમ નહિ.
સત્ય તમને સ્વતંત્ર કરશે
આ તારણ નો સંદેશ છે. તેમાં ઈશ્વરના પ્રેમ, કૃપા અને માફીના સત્યને સમાવેશ થાય છે, સાથે જ માનવતા માટે મુક્તિની અને ઈશ્વર સાથે સમાધાનની જરૂરિયાતના સત્ય પણ સામેલ છે. તે દર્શાવે છે કે ઈસુને જાણવા, જે સત્ય છે, અને તેના શબ્દો પર વિશ્વાસ રાખવાથી સ્વતંત્રતા મળે છે. બાઈબલ કહે છે: “પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો.” (યોહાન 1:12). ઈસુ ખ્રિસ્ત ને પોતાના મુક્તિદાતા રીતે મનમાં સ્વિકાર કરવું એ એક માર્ગ સિવાય તારણ માટે આ જગત માં દેવે બીજો કોઈ વિકલ્પ નથી આપ્યું. માટે આજે, તમે ખ્રિસ્ત પાસે આવી શકો છો , અને તમે તમારું જીવન અને હૃદય તેમની સામે સમર્પિત કરી દો.ઈસુ જ સત્ય છે. તેમના પર વિશ્વાસ રાખો અને તે તમને ખરેખર સ્વતંત્ર કરશે!